
કલમ-૧૪૮, કલમ-૧૪૯ કે કલમ-૧૫૦ હેઠળ કર્યાનું અભિપ્રેત હોય તેવા કોઇ કૃત્ય માટે કોઇ વ્યકિત વિરૂધ્ધ નીચે જણાવ્યા પ્રમાણેની મંજુરી લીધા સિવાય કોઇ ફોજદારી ન્યાયાલયમાં ફરિયાદ માંડી શકશે નહી.
(૧) કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે આ અર્થ જેને ખાસ અધિકાર આપેલ હોય તે બીજા કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને પોલીસ અધિકારીનો રિપોર્ટ અથવા બીજી માહિતી મળ્યા ઉપરથી અને પોતાને લેવાનું યોગ્ય લાગે તેવો કોઇ પુરાવો લીધા પછી એમ લાગે કે
(એ) લોકો જેનો કાયદેસર રીતે ઉપયોગ કરતા કે કરી શકતા હોય તેવા કોઇ જાહેર જગ્યાએથી અથવા કોઇ રસ્તા નદી કે નાળામાંથી કોઇ ગેરકાયદેસરની અડચણ અથવા ત્રાસદાયક બાબત દુર કરવી જોઇએ અથવા
(બી) કોઇ વેપાર કે ધંધો ચલાવવો અથવા કોઇ માલ કે વેપારી માલ રાખવો સમાજની તંદુરસ્તી કે શારીરિક સુખાકારી માટે નુકશાનકારક છે અને એટલા ખાતર તે વેપાર કે ધંધા ની મનાઇ કરવી જોઇએ અથવા તેનું નિયમન કરવું જોઇએ અથવા તે માલ કે વેપારી માલ દૂર કરવો જોઇએ કે તેને રાખવાનું નિયમન કરવું જોઇએ અથવા
(સી) આગ લાગવાનો કે ધડાકો થવાનો સંભવ હોય એવું કોઇ મકાનનું બાંધકામ થતું અથવા કોઇ પદાથેનો નિકાલ થતો અટકાવવો કે બંધ કરવો જોઇએ અથવા
(ડી) કોઇ મકાન તંબુ કે ઇમલો અથવા કોઈ ઝાડ એવી સ્થિતિમાં છે તે પડી જઇને આજુબાજુમાં રહેનાર અથવા ધંધો રોજગાર કરનાર વ્યકિતઓને અને રાહદારીઓને ઇજા પહોંચાડે એવો સંભવ છે અને એટલા માટે તે મકાન તંબુ કે ઇમલાને દૂર કરવો તેની મરામત કરવી કે તેને ટેકા દેવા અથવા તે ઝાડને દૂર કરવું કે તેને ટેકા દેવા જરૂરી છે અથવા
(ઇ) એવા કોઇ રસ્તા કે જાહેર સ્થળની બાજુમાં આવેલા તળાવ કૂવા કે ખોદાણને એવી રીતે વાડ કરી લેવી જોઇએ કે જેથી લોકોને ભય ઊભો ન થાય અથવા
(એફ) કોઇ ઝનુની પ્રાણીનો નાશ કરવો જોઇએ અથવા તેને પૂરી રાખવું કે તેનો બીજી રીતે નિકાલ કરવો જોઇએ. ત્યારે તે મેજિસ્ટ્રેટ તે અડચણ કે ત્રાસદાયક કૃત્ય કરનારને અથવા તે વેપાર કે ધંધો કરનારને અથવા તે માલ કે વેપારી માલ રાખનારને અથવા તે મકાન તંબુ ઇમલા પદાર્થ તળાવ કૂવા કે ખોદકાના માલિક કબ્જેદાર કે તેનું નિયંત્રણ કરનારને અથવા તે પ્રાણી કે ઝાડના માલિકને કે કબ્જેદારને શરતી હુકમ કરી તે હુકમમાં જણાવેલ સમયમાં
(૧) તે અડચણ કે ત્રાસદાયક બાબત દૂર કરવા અથવા
(ર) તે વેપાર કે ધંધો ન કરવા અથવા આદેશ આપવામાં આવે એ રીતે તેને ખસેડવા કે તેનું નિયમન કરવા અથવા આદેશ આપવામાં આવે એ રીતે માલ કે વેપારી માલ દૂર કરવા કે તે રાખવાનું નિયમન કરવા અથવા
(૩) તે મકાનનું બાંધકામ અટકાવવા કે બંધ કરવા અથવા તે પદાર્થનો નિકાલ કરવામાં ફેરફાર કરવા અથવા
(૪) તે મકાન તંબુ કે ઇમલો દૂર કરવા તેની મરામત કરવા અથવા તેને ટેકા દેવા અથવા તે ઝાડને દૂર કરવા કે તેને ટેકા દેવા અથવા
(૫) તે તળાવ કૂવા કે ખોદકામનો વાડ કરી લેવા અથવા
(૬) તે ઝનુની પ્રાણીનો સદરહુ હુકમમાં જણાવ્યા પ્રમાણે નાશ કરવા તેને પૂરી રાખવા કે તેનો નિકાલ કરવા ફરકાવી શકશે અથવા જો તેમ કરવા સામે તે વ્યકિતને વાંધો હોય તો સદરહુ હુકમમાં દર્શ: (વેલા સમયે અને સ્થળે પોતાની સમક્ષ અથવા પોતાની સતા નીચેના બીજા કોઈ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા અને આ સંહિતામાં હવે પછી જણાવેલી રીતે તે હુકમ શા માટે કાયમ ન કરવો જોઇએ તેનું કારણ દર્શાવવા ફરમાવી શકશે.
(૨) આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટે યોગ્ય રીતે કરેલા હુકમ સામે કોઈ દીવાની ન્યાયાલયમાં વાંધો કે મનોરંજન માટે ખાલી રાખેલા મેદાનોનો સમાવેશ થાય છે.
સ્પષ્ટીકરણ.- જાહેર જગ્યા માં રાજયની માલિકી ની મિલકતનો પડાવ મેદાનો અને સ્વચ્છતા કે મનોરંજન માટે ખાલી રાખેલા મેદાનોનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw